સ્થાપના: ૧૯૯૭
शील वृतफलम श्रुतम्
શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક પૂરું કરવાનો માર્ગ નથી—તે બાળકના સંસ્કાર, સ્વભાવ અને ભવિષ્યના ઘડતરની યાત્રા છે. શ્રી નાલંદા ગુરુકુલ વિદ્યાલય એ માત્ર શાળા નથી, પણ પ્રેમ, શિસ્ત અને અધ્યાત્મથી ભરેલું એક સંસ્કારક્ષેત્ર છે. અહીં શિક્ષણને જીવનમૂલ્યો સાથે જોડીને, બાળકોના સર્વાંગી વિકાસ માટે આરંભી છે. દરેક બાળકમાં છુપાયેલ પ્રતિભાને ઓળખી, તેમને આત્મવિશ્વાસભર્યું ભવિષ્ય આપવાનો અમારો સંકલ્પ છે. દરેક વર્ગખંડમાં શીખવાનો વિભિન્ન અનુભવ છે, જ્યાં શિક્ષક માત્ર પાઠ ન કહે પણ જીવનના પાથ દર્શાવે છે.
આ અવરોધતા પરિબળો ને દૂર કરી એના સ્વપન ને સાકાર કરતી અને મુક્ત ગગનમાં વિહાર કરાવતી શાળા વિશે જાણવું છે ?
અને અમારા પ્રયત્નો વિશે જાણવું છે ?